માંડવી ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃત અભિષેક તથા સમુદ્ર સ્નાન મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો
કચ્છના પવિત્ર તીર્થસ્થળ માંડવી ખાતે પરમ કૃપાળુ શ્રી હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસથી ઓતપ્રોત એવો પંચામૃત અભિષેક તથા સમુદ્ર સ્નાન મહોત્સવ ભવ્યતા સાથે ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહી ભગવાનના દર્શન તથા આશીર્વાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને “સ્વામિનારાયણ” મહામંત્રના ગુંજતા નાદે વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું.
અભિષેક પૂર્ણ થયા બાદ શ્રી હરિકૃષ્ણ મહારાજને ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે દરિયા કિનારે લઈ જવામાં આવ્યા હતા. માર્ગભરમાં હરિભક્તોએ જયઘોષ સાથે ભગવાનનું સ્વાગત કર્યું હતું. દરિયાકાંઠે વૈદિક વિધિ અનુસાર ભગવાનને સમુદ્ર સ્નાન કરાવવામાં આવ્યું હતું. સમુદ્રની લહેરો વચ્ચે યોજાયેલ આ પવિત્ર વિધિએ ભક્તોના હૃદયમાં અદભૂત આનંદ અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો. સંતો દ્વારા ગવાતા કીર્તનો અને ધૂનથી સમગ્ર દરિયાકાંઠો ભક્તિમય બની ગયો હતો.
આ પણ વાંચો.....
ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેને કર્યું આવું.....
આ અવસરે આશીર્વચન આપતાં પૂજ્ય આચાર્ય શ્રી સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે ભગવાનના અભિષેક અને સમુદ્ર સ્નાન જેવા ઉત્સવો માનવજીવનમાં આધ્યાત્મિક શુદ્ધિ અને સંસ્કારનું સિંચન કરે છે. આવા પ્રસંગો દ્વારા ભગવાન પ્રત્યેની ભક્તિ વધુ દૃઢ બને છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સકારાત્મકતા પ્રગટે છે. તેમણે સત્સંગના મહત્વ પર ભાર મૂકતાં યુવા પેઢીને સંસ્કારમય જીવન જીવવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન સંતોએ ભગવાનના મહિમા, ધર્મ, ભક્તિ અને સત્સંગના મૂલ્યો અંગે પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા હતા. ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
આ સમગ્ર મહોત્સવમાં સંતો, મહિલાઓ, યુવકો, સ્થાનિક આગેવાનો તેમજ દેશ-વિદેશથી આવેલા હરિભક્તોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા બક્ષી હતી. અંતે વિશ્વમાં સુખ, શાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આજના પંચામૃત અભિષેક અને સમુદ્ર સ્નાન મહોત્સવના યજમાન તરીકે કેસરબેન ધનજીભાઈ વાઘજીભાઈ પિંડોરિયા પરિવાર, ઘનશ્યામનગર-દહીંસરાએ સેવા અર્પણ કરી હતી.
______________________________
અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.




0 Comments