પૂર્વ મુખ્યમંત્રી મંત્રીના મનાતા લક્કી નંબરના દિવસે જ સર્જાઈ કરુણાંતિકા
ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ ખાતે ગુરુવારે સર્જાયેલ પ્લેન દુર્ઘટનામાં મોત નીપજ્યુ હતું. જોગાનુજોગ આજે તારીખ 12/06 છે. અને આજ આંકડા પૂર્વ મુખ્યમંત્રીના તમામ પર્સનલ વાહનોના નંબર 1206 છે, વર્ષો પહેલા તેમના પ્રથમ વાહનનો નંબર 1206 હતો – જે તેમનો લક્કી નંબર માનવામાં આવતો હોવાનું માનવામાં આવે છે. તેમની કાર અને સ્કૂટરના નંબર 1206 છે. અને આજે તા.12/06 ના દિવસે તેમનું ભયાનક પ્લેન ક્રેશમાં કરૂણ મૃત્યુ નીપજ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અંતિમ તસવીર
અમદાવાદમાં ગુરુવારે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું દુઃખદ અવસાન થયું છે. જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયો હતો તેમાં વિજયભાઈ રૂપાણી સાથે અન્ય પ્રવાસીએ સેલ્ફી તસવીર લીધી હતી જે સામે આવી છે. જે તેમની અંતિમ તસ્વીર હોવાનું મનાઈ રહ્યું છે.
અમદાવાદમાં થયેલી AI171 પ્લેન ક્રેશ દૂર્ઘટના માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુજરાતના અમદાવાદમાં AI171 વિમાન દુર્ઘટના માટે સહાય અથવા માહિતી માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે, કૃપા કરીને સંપર્ક કરો: (દિલ્હી કંટ્રોલ રૂમ) 011-24610843, 9650391859 ઓપરેશન કંટ્રોલ રૂમ (અમદાવાદ) - 9974111327, 9650391859. જ્યારે રાજ્ય સરકારે રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમનો ફોન નંબર 079-232-51900 છે અને સંબંધિતો દ્વારા મો. નં. 9978405304 પર સંપર્ક કરી શકાય છે.
આ સાથે, એર ઇન્ડિયાએ મુસાફરો સંબંધિત પૂછપરછ માટે સમર્પિત નંબર 1800 5691 444 જાહેર કર્યો છે અને મીડિયા માટે સમર્પિત મો. નં. +91 9821414954 આપવામાં આવ્યો છે.
ઉપરાંત, અમદાવાદ પોલીસની કટોકટી સેવાઓ અને આ અકસ્માત સંબંધિત જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર 07925620359 પ્રદાન કરવામાં આવ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે: 6357373831, 6357373841.
ટાટા ગ્રુપ દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી
https://x.com/TataCompanies/status/1933159585772367969?t=GlTncDmAQAXEfZfqgH2hjA&s=19
ટાટા ગ્રુપ દ્વારા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારને ₹1 કરોડની સહાય ચૂકવવાનો નિવેદન આપવામાં આવ્યું છે. ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખન દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરી આ અંગેની જાહેરાત કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિઓને પણ તમામ પ્રકારની તબીબી સહાય અને ખર્ચ ઉપાડવાની માહિતી આપવામાં આવી છે. દુર્ઘટનામાં મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના દાખવી અને દુઃખની લાગણી પણ વ્યક્ત કરી છે.
પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વ્યક્તિનો ચમત્કારિક બચાવ
અમદાવાદમાં ગુરુવારે બપોરે પ્લેન ક્રેશ થયો હોવાની દુર્ઘટનામાં 242 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચારો મળી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગુરુવારે air india ની ફ્લાઇટમાં સવાર 242 પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બરો માંથી એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હોય તેવી માહિતી મળી રહી છે જેનું નામ પણ વિશ્વાસ કુમાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટ્રાફિકમાં ફસાઈ જવાના કારણે જીવ બચી ગયો
અમદાવાદની એક પ્રવાસી ભૂમિ ચૌહાણ નામની મહિલાની ફ્લાઈટ મિસ થવાના કારણે તેનો જીવ બચી ગયો હતો. તેણીની સીટ પણ આ દુર્ઘટના ગ્રસ્ત પ્લેનમાં રિઝર્વ હતી પરંતુ તે અમદાવાદની ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી અને અમદાવાદ એરપોર્ટ ખાતે ઓનબોર્ડ ટાઈમિંગમાં પહોંચી શકી ન હતી અને તેની આ ફ્લાઈટ મિસ થઈ હતી. ભૂમિ ચૌહાણના ફ્લાઈટ મિસ થવાના કારણે પણ તેમનો જીવ બચી ગયો હતો.
કચ્છના પટેલ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું. પરંતુ શોકસંદેશ આપવા કોઈ તૈયાર ન થયા
અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં કચ્છના પટેલ સમાજના પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં ભુજ તાલુકાના કોડકી ગામના ત્રણ, માધાપર ગામના એક અને દહીસરા ગામના એક મળી કુલ પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેઓ કચ્છ થ અમદાવાદ ખાતે ગયા હતા અને ત્યાં રોકાણ કર્યું હતું ત્યારબાદઆ આ દુર્ઘટના ગ્રસ્ત ફ્લાઇટમાં લંડન જવા માટે નીકળ્યા હતા. અંગે સમાજના આગેવાનો અને યુવાઓને પૃચ્છા કરવા છતાં કોઈ કશું બોલવા તૈયાર ન હતું. એટલું જ નહીં શોક કે દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે પણ કોઈ કેમેરા સામે આવવા તૈયાર થયું નહીં અને છેવટે જણાવી દેવાયું કે, અમે સ્ટેટમેન્ટ આપી શકીએ નહીં. જે દુઃખદ કહી શકાય.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
મો. 966 492 8653
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ
0 Comments