હથિયાર અંગે નવી માહિતી બહાર પાડવામાં આવી. જાણો કઈ માહિતી બહાર પાડવામાં આવી?

Live Viewer's is = People

કચ્‍છ જીલ્‍લામાં ૩૧મી જાન્યુઆરી-૨૦૨૩ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવી: અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામા આવ્યું.

Rohit Padhiyar


     જાન્યુઆરી-૨૦૨૩માં કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી નજરે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી મિતેશ પંડયાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.

આ પણ વાંચો : ભુજના ઐતિહાસિક સ્થળો પર અસામાજીક તત્વોએ અડીંગો જમાવ્યો.


આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.

અહેવાલ : રોહિત પઢિયાર,ભૂજ

Post a Comment

0 Comments

close