વિધાનસભા અધ્યક્ષાશ્રી
ડો.નીમાબેન આચાર્યે આજરોજ કચ્છના કુનરીયા નાના મોટા ગામે જિલ્લા કક્ષાનો સુજલામ સુફલામ
જળ અભિયાન ૨૦૨૨, ૬૬ કે.વી. કુનરીયા
સબ સ્ટેશનનું ભૂમિપૂજન અને ભુજ તાલુકા કક્ષા પશુપાલન શિબિરના ત્રિવિધ કાર્યક્રમનો અધ્યક્ષસ્થાનેથી
પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાનશ્રી
નરેન્દ્રભાઇ મોદી એ પ્રથમવાર કચ્છમાં ખેડૂત શિબિરમાં આવી “પર ડ્રોપ મોર ક્રોપ” ની વાત કરી
સિંચાઇથી સમૃધ્ધિની વાત કરી હતી. પ્રાકૃતિક ખેતી અને જીવામૃત દ્વારા ખેડૂતોને ૨૦૨૨ સુધીમાં સમૃધ્ધ
કરવા પશુપાલક અને ખેડૂત શિબિરો મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. સરકારે નવી ટેકનોલોજીથી ઉત્તમ
ખેતી માટે જે સુવિધા પુરી પાડી છે તેનો લાભ લઇ ઉન્નત બનો. પશુધન માટે સરકારે મોબાઇલ
દવાખાના સારવાર સુવિધા વધારી છે તેમજ કચ્છમાં વેટનરી કોલેજ માટે બજેટમાં રૂ.૫ કરોડ મંજુર
થયા છે તેમજ રૂ.૨૦ કરોડના ખર્ચે
અત્યાધુનિક બિલ્ડીંગ કાર્યરત થશે જેનો લાભ પશુપાલકો અને પશુઓને થશે.
0 Comments