જાફરાબાદ તાલુકાના લોર ગામે કોરોનાં વેક્સીન નો કેંપ યોજાયો હતો, જેમાં લોર ગામ ના દરેક સમાજ ના લોકો, સાથે રહીને કોરોનાની રસી લીધી, લોર ગામના પત્રકાર, ડી,ડી,વરૂએ પહેલાં વેકસીન લઈ ને, લોકોને સંદેશો આપ્યો હતો કે, રસી ની કોઈ આડ અસર નથી, અને દરેક વ્યક્તિ એ લેવી જોઈએ આ રસી, જાફરાબાદના વરિષ્ઠ પત્રકાર, ડી ડી વરૂ રસીકરણ બાદ, ભૂટાભાઈ બલદાણીયા, જે આહીર સમાજ ના આગેવાન છે તેમણે પણ રસી લીધી, અને ત્યાર બાદ બાપા સીતારામ ગ્રુપના પ્રમુખ, બાલુભાઈ લાડુમોર, કોળી સમાજના આગેવાન, વિક્રમભાઈ સાખટ, વિગેરે એ રસીકરણ બાદ લોકોને સંદેશો આપ્યો હતો,લોર ગામે આજ રોજ યોજાયેલા કેમ્પમા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર, મયુરભાઈ ટાંક, મેડીકલ ઓફીસર, ડોક્ટર, જીગ્નેશપુરી ગોસ્વામી, ડોક્ટર, ધ્રુવભાઈ જોગદિયા, RBSK ડોક્ટર,અર્ચનાબેન જાલા, MPHW, મેહુલભાઇ દવે, FHW, રૂપલબેન વાળા, અશાવર્કર,વિલાસબેન ડાભી, ગૌરીબેન પરમાર, તાલુકા સુપરવાઈજર, શનેશ્વરા ભાઈ તથા ખોડુભાઈ વરુ, તમામ લોકો દ્વારા જહેમત ઊઠાવી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો,
રિપોર્ટ, બાબુભાઈ વાઢેળ, ધ ન્યુઝ ટાઇમ્સ, જાફરાબાદ,
વિગતવાર વિડીયો સમાચારો જોવા માટે અહિં ક્લિક કરો
0 Comments