આ તકે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે વિજકર્મીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, વેકિસન તો આપણી સુરક્ષા માટે છે તેમાં કોઇના કહેવાની શું જરૂર. શા માટે આપણે સમયસર વેકિસન લઇને સલામત ન બનીએ. તથા વધુમાં ઉમેર્યુ હતું કે, દરેકે પોતાના પરિવારજનોને પણ વેકિસન લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ તથા અંજાર ગેટકોના કાર્યપાલક ઈજનેરશ્રી વામજાને પણ આવું આયોજન કરવા સુચન કર્યુ હતું.
આ ઉપરાંત રાજયમંત્રીશ્રીએ રોટરી કલબ દ્વારા હાથ ધરવામાં આવેલ વેકિસનેશન કાર્યક્રમમાં હાજરી આપીને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન આરોગ્ય વિભાગ અને પી.જી.વી.સી.એલ. ના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગેટકો અંજારના કાર્યપાલક ઈજનેરશ્રી વામજા તેમજ કષ્ટા, અંજારીયા, ગોપાલભાઇ માતા તેમજ પી.જી.વી.સી.એલ. નાં કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટ: ગની કુંભાર, ભચાઉ
0 Comments