સ્વ.સરદાર વલ્લભ ભાઈ પટેલને શ્રધ્ધાંજલી આપવાના લખાણ મા રાપર કોંગ્રેસ દ્વારા ભાંગરો વટાયો.

Live Viewer's is = People

 સ્વ.સરદાર વલ્લભ ભાઈ પટેલને શ્રધ્ધાંજલી આપવાના લખાણ મા રાપર કોંગ્રેસ દ્વારા ભાંગરો વટાયો.




આજે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી છે. રાપર કોંગ્રેસ દ્વારા તેમની યાદમા એક કાર્યક્રમ યોજી પુષ્પાંજલી અર્પણ કરવામા આવી હતી. રાપરના દેનાબેંક ચોક ખાતે ધારાસભ્ય શ્રીના કાર્યાલયમાં યોજવામા આવેલા આ કાર્યક્રમ માં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા. અને સોશીયલ ડીસ્ટંસની અમલવારી સાથે આયોજન કરવામા આવ્યું હતું.

જ્યારે આજના આ કાર્યક્રમની એક પ્રેસનોટ મિડીયાને મોકલવામા આવી હતી. જેમા સરદાર પટેલની જન્મ જયંતિ અને પુણ્યતિથી એમ બે વાતનો ઉલ્લેખ કરવામા આવ્યો હતો. આમ કાર્યાલયના મંત્રીને પણ એ વાતનો ખ્યાલ નથી કે આજે સરદાર પટેલની પુણ્યતિથી છે કે જન્મ જયંતી? માત્ર કાર્યક્રમ કરવા ખાતર કર્યો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યો હતો.

ભારત રત્ન લોહ પુરુષ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી નિમીત્તે માત્ર કાર્યક્રમ કરી પ્રચાર પ્રસાર કરવાનો ધ્યેય લગભગ દરેક વ્યક્તિઓનો હોય છે. પરંતુ આવી ભુલો વિધાનસભાના ધારાસભ્યના કાર્યાલય દ્વારા થતી હોય તે ગંભીર બાબત કહેવાય. લેટરપેડ પર લખી મીડીયાને પ્રેસનોટ મુકવાથી અનેક મીડીયા જગતના લોકો પણ અસમંજસમા પડી ગયા કે આમા સમજવું શૂં? 



Post a Comment

0 Comments

close