ભચાઉ શહેર તથા તાલુકાના વધુ ૪ વિસ્તારને
માઈક્રો
કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર
ભચાઉ શહેરના ભટપાળીયા વિસ્તારમાં શ્રી સવજીભાઇ સાજણભાઇ
પરમારના ઘરથી શ્રી રમેશભાઇ કાનજીભાઇ કારીયાના ઘર સુધીને તા.૯/૧૦ સુધી, ભચાઉ
શહેરના સીતારામપુરા વિસ્તારમાં શ્રી હબીબ જુસબ કુંભારના ઘરથી શ્રી સલીમ ઈઝરીન
દિવાનના ઘર સુધીને તા.૮/૧૦ સુધી, ભચાઉ
શહેરના તયબાનગર વિસ્તારમાં શ્રી ઈબ્રાહિમ સુમાર અબડાના ઘરથી શ્રી સુલેમાન કારા
ભટીના ઘર સુધીને તા.૭/૧૦ સુધી, ભચાઉ
તાલુકાના લુણવા ગામમાં એન.આર.ઈ.કોક કંપનીના કોલોનીમાં ચંદ્રપાલ દેવરાજ પાલના ઘરથી
શ્રી સુર્યમણી કોરનાકરવિશ્વ પાલના ઘર સુધીને તા.૧૦/૧૦ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ
ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ
વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ
મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક
ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ
જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ
સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ નાયબ કલેકટર અને
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.
0 Comments