સહકારી સંસ્થાઓને વાર્ષિક સાધારણ સભા બોલાવવા અંગે સરકારશ્રી તરફથી મુકિત
(પ્રતિકાત્મક તસવીર)
ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે આ અધિનિયમની કલમ-૭૭ અન્વયે તમામ સહકારી મંડળીઓને સાધારણ સભા બોલાવવાની જોગવાઈમાંથી મુકિત આપી સાધારણ સભા બોલાવવાની મુદત તા.૩૧/૩/૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરે છે.
જે અંતર્ગત ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની
કલમ-૧૬૧ હેઠળ મળેલ સતાની અન્વયે તમામ સહકારી મંડળીઓને વ્યવસ્થાપક કમિટિની મંજુરીથી
આગામી સાધારણ સભામાં બહાલી મેળવવાની શરતે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ ના નફાની વિનિયોગ
કરવા સારૂ કલમ-૬૬(૨) ની જોગવાઇમાંથી
મુકિત આપવામાં આવેલ છે એમ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (હા.) સહકારી મંડળીઓ, ભુજ-કચ્છ દ્વારા
જણાવાયું છે
0 Comments