ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉમદા કર્તવ્યભાવનાને બિરદાવવાં શુભ સંકલ્પથી પદાધિકારીઓનું સન્માન

Live Viewer's is = People

     ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉમદા કર્તવ્યભાવનાને બિરદાવવાં શુભ સંકલ્પથી પદાધિકારીઓનું સન્માન






      ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉમદા કર્તવ્યભાવનાને બિરદાવવાં શુભ સંકલ્પથી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય તેમજ મુન્દ્રા-માંડવી વિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને સન્માનપત્રનાં માધ્યમથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તેઓને આયુર્વેદિક ‘‘નિરામય મંજૂષા’’ કિટ આપવામાં આવી હતી.


ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત ઔષધાલય દ્વારા હાલ કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે હેતુસર ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ‘‘નિરામય મંજૂષા’’ સ્વાસ્થ્યવર્ધક સામગ્રીઓવાળી કિટનું વિતરણ કરવામાં આવી રહયું છે.
        આ પ્રસંગે અગ્રણીશ્રી દિલીપભાઇ ત્રિવેદી, ભુજ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીગણ સર્વશ્રી રામજીભાઇ વેકરીયા, મુળજીભાઇ શિયાણી અને શશિકાંતભાઇ ઠકકર ઉપસ્થિત રહયા હતા

Post a Comment

0 Comments

close