ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરનું સન્માન

Live Viewer's is = People

vasan aahir sanman

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરનું સન્માન કરવામાં આવ્યું

ભુજ, બુધવારઃ
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉમદા કર્તવ્યભાવનાને બિરદાવવાં શુભ સંકલ્પથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન વિભાગના રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરને સન્માનપત્રનાં માધ્યમથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તેઓને આયુર્વેદિક ‘‘નિરામય મંજૂષા’’ કિટ આપવામાં આવી હતી.
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત ઔષધાલય દ્વારા હાલ કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે હેતુસર ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ‘‘નિરામય મંજૂષા’’ સ્વાસ્થ્યવર્ધક સામગ્રીઓ વાળી કિટનું વિતરણ કરવામાં આવી રહયું છે.
આ પ્રસંગે કચ્છ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., તાલીમી આઇએએસ અધિકારીશ્રી નિધિ સિવાચ, અગ્રણીશ્રી દિલીપભાઇ ત્રિવેદી, ભુજ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીગણ સર્વશ્રી રામજીભાઇ વેકરીયા, મુળજીભાઇ શિયાણી અને શશિકાંતભાઇ ઠકકર ઉપસ્થિત રહયા હતા

Post a Comment

0 Comments

close