ભારત પાકિસ્તાનનાં બોર્ડર પર કારગિલ વિજય દિવસની ઉજવણી
કારગિલ યુદ્ધમાં દેશના શહીદ જવાનોની યાદમાં તથા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે બી.એસ.એફ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે,જેને અનુલક્ષીને નડેશ્વરી માતાજીના મંદિર(નડાબેટ) બી.ઓ.પી.થી આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત અંબાજી માતાજીના મંદિર સુધી રવિવારે વહેલી સવારે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં સાઇકલ રેલીમાં 63 અને 109 બટાલીયન ના બી.એસ.એફ જવાનો અને અધિકારીઓ સાથે દાંતીવાડા કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ,ડીસા ના ઇન્ડિયન મેડિકલ એસોસિયનના ડોક્ટરો જોડાયા હતા,અને દેશભક્તિનો સંદેશો આપ્યો હતો.
વસરામ ચૌધરી થરાદ બનાસકાંઠા
0 Comments