તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે - તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

વાવના કુંડાળીયા ગામમાં વિજળીત્રાટકતાં 120 ઘેટાં-બકરાંનાં મોત

— જાહેરાત (Google AdSense In-Article Top) —

વાવના કુંડાળીયા ગામમાં વિજળીત્રાટકતાં 120 ઘેટાં-બકરાંનાં મોત

સેંધાભાઇ રબારીના ખેતરમાં જોરદાર કડાકા સાથે વીજળી ત્રાટકતાં માલધારી પરિવારને નુકસાન

બનાસકાંઠા ના સરહદી વાવ તાલુકાના કુંડળીયા ગામમાં એક માલધારીના ખેતરમાં ત્રાટકેલી આકાશી વીજળીના કારણે 120 જેટલાં ઘેટાંબકરાંના કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે 2 વ્યક્તિનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો.આ ઘટનાને લઈને પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. બુધવારની સાંજના સુમારે બનાસકાંઠાના સરહદી થરાદ-વાવ પંથકમાં ભારે ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થવા પામી હતી.જોકે વરસાદી માહોલમાં વીજળીના બિહામણાં કડાકા અને ભડાકાના કારણે ચારે તરફ ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. આ વખતેભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વાવ તાલુકાના કૂંડાળીયા ગામની સીમમાં રહેતા સેધાભાઈ વાલાભાઇ રબારીના ખેતરમાં પણ જોરદાર કડાકા સાથે વીજળી ત્રાટકી હતી. જેના કારણે તેમના ખેતરમાં રહેલાં 120  ધેટાં-બકરાંના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. જો કે તેની બાજુમાં રહેલા પરિવારના બાળકો સહિત અન્ય સદસ્યોને ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. એક માલધારી પર ત્રાટકેલા કુદરતના કહેરને કારણે સરહદી પંથકમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી

રીપોર્ટ : વસરામ ચૌધરી, થરાદ 


 

સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: