થરાદ ધાનેરા હાઇવે પર વરસાદી પાણી ભરતા વાહન ચાલકો ને પરેશાની
ગઇકાલે રાત્રે આવેલ તોફાની પવન સાથે વરસાદ પડતાં થરાદ ધાનેરા હાઇવે ખેગારપુરા નજીક રોડ પર પાણી ભરતા વાહન વ્યવહાર રાત્રે બંધ જેવો થઈ ગયો હતો થરાદ ધાનેરા હાઇવે નું કામચાજ ચાલુ હોવાના કારણે રોડ પર ઠેરઠેર ખાડા અને રોડ તૂટયો હોય તેવું લોકો જણાવી રહ્યા હતા ખેગારપુરા પાટીયા નજીક તળાવ નવું બનાવવામાં આવ્યું છે પણ ગ્રામ પંચાયત દ્વારા રોડ પર થી નીકળતા પાણી માટે તળાવમાં નાળા ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી રોડ પર તળાવ જેવો માહોલ દેખાતો હતો હજી ચોમાસું પુરી રીતે જામયુ પણ નથી અને આવી તકલીફો થઈ રહી છે તો ચોમાસામાં શું થશે હાઇવે બંધ થઈ જતાં લોકો બાજુમાં થી ચાલવાનો નવો રસ્તો બનાવી ને રાહદારીઓ અને વાહન વ્યવહાર નીકળતો હતો રાત્રે આવેલ વાવાઝોડા સાથે વરસાદ ના કારણે તાલુકામાં અનેક જગ્યાએ નુકસાન થયું હતું તંત્ર દ્વારા જે નવો હાઇવે મજુર થયો છે તેને નીચાણવાળા વિસ્તારોમાં તાત્કાલીક કંઈક વ્યવસ્થા કરે તેવું લોકમુખે ચચાસ્પદ બન્યું હતું જો ગ્રામ પંચાયત કચેરી દ્વારા તળાવમાં નાળા નાખવામાં આવે તો રોડ પર ભરાતા પાણી નો તાત્કાલિક નીકલા થઇ શકે તેમ છે.
0 Comments