ભચાઉના શિકારપુર ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકના મોત. ભચાઉના શિકાપુર ગામના તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકના મોત. ગ્રામજનો દ્વારા ડૂબેલા ત્રણે બાળકને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા.મૃત દેહને પોસ્મોર્ટમ માટે લાકડીયા ગામના PHC ખાતે લઈ જવાયા છે, ત્યારે એકી સાથે ત્રણ બાળકોના મૃત્યુથી અરેરાટી ફેલાઈ છે, ભચાઉ તાલુકાના શિકારપુર ખાતે ગામ ની બાજુમાં આવેલ તળાવ જેવા ખાડા મા ન્હાવા જતા ત્રણ બાળકો ડુબી જવાથી મોત ની નિપજયા હતા. બે બાળકો શિકારપુર અને એક બાળક વાંઢીયાનો હોવાની માહીતી મળી રહી છે. ત્રણે બાળકો અનુસુચિત જાતિના છે. શિકારપુર અને આસપાસના વિસ્તારમાં અરેરાટી છવાઈ હતી. ત્રણે બાળકો ના મૃતદેહ ને લાકડીયા સહયોગ આરોગ્ય કેન્દ્ર મા પોસ્ટમોર્ટમ માટે લેવાયા હતા.
રિપોર્ટ: ગની કુંભાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભચાઉ.
0 Comments