ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આકરા વેરા ની સામે આવેદનપત્ર પાઠવ્યું
◆ધોરાજીમાં કોરોના મહામારી ના સમયમાં જ ધોરાજી નગરપાલિકા એ પ્રજા ઉપર આકરા વેરા નાખ્યા
◆ ધોરાજી ની પ્રજા ઉપર પહેલા ભૂગર્ભ ગટરનો વેરો બાદ દિવાબતી સફાઈ નો વેરો નાખતા શહેરની પ્રજાને વેપારીઓમાં ભારે રોષ
ધોરાજી: ધોરાજીમાં કોરોના મહામારી ના સમયમાં છેલ્લા એક વર્ષથી લોકો ધંધા રોજગાર વગરના છે આવા સમયે ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રજા ઉપર કમરતોડ ત્રણ નવા વેરાઓ નાખતા ધોરાજી શહેરની જનતા તેમજ વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે જે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો
રિપોર્ટ બાય:- કૌશલ સોલંકી ધોરાજી
0 Comments