ભુજના શ્રમજીવી પરિવારના લોકોની વ્હારે આવ્યું શિવસેવા ટ્રસ્ટ

Live Viewer's is = People

ભુજના શ્રમજીવી પરિવારના લોકોની વ્હારે આવ્યું શિવસેવા ટ્રસ્ટ



કોરોના વાઇરસ ને પગલે સમગ્ર ભારત ભરમાં લોક ડાઉન છે જેને પગલે ભુજના શ્રમજીવી પરિવારના ના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજનું કમાઈને રોજ ખાવા વાળા લોકો પાસે હવે કામ રહ્યું નથી જેથી શું ખાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેને પગલે ભુજના શિવસેવા ટ્રસ્ટ દ્વારા બાપા સીતારામ મઢુલી ગ્રુપ, જલારામ ફાઇનાન્સ, અને આશાપુરા ફાઇનાન્સ ના સહયોગ થી શ્રમજીવી પરિવારના લોકોને ભોજન બનાવી પીરસવામાં આવી રહ્યું છે.

આ સેવાકીય પ્રવૃત્તિ માં શીવસેવા ટ્રસ્ટના સોનલબેન જોષી,મુકેશભાઈ સેંઘાણી, જીતભાઈ જોષી, પ્રતાપભાઈ રાજપુત વિગેરે સેવા આપી રહ્યા છે.

Post a Comment

0 Comments

close