બહુમાળી ભવનમાં આવતા દિવ્યાંગો, અરજદારો તથા કર્મયોગીની સહુલિયતમાં વધારો થશે. રૂ. ૬૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બે લિફ્ટમાં ૨૬ લોકો એક સાથે આવાગમન કરી શકશે.સાબરકાંઠા જિલ્લાના બહુમાળી ભવનમાં કચેરીકામ અર્થે આવતા દિવ્યાંગો, અરજદારો અને કર્મચારીઓની સુવિધા અર્થે રૂ. ૬૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી લિફ્ટ સુવિધાને જિલ્લા સમાહર્તાશ્રી ડૉ. રાજેન્દ્ર પટેલે રીબિન કાપી ખુલ્લી મુકી હતી. માર્ગ મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક લિફ્ટમાં ૧૩ અને બીજી લિફ્ટમાં ૧૩ મળી કુલ ૨૬ લોકો એક સાથે આવા ગમન કરી શકે તેવી અધતન સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન સ્થિત વિવિધ કચેરીઓમાં આવતા દિવ્યાંગો, વૃધ્ધો તેમજ અરજદારો અને કર્મચારીઓની સહુલિયતમાં વધારો થશે.લિફ્ટ સુવિધાને ખુલ્લી મુકતા સમયે અધિક કલેકટર શ્રી એચ.આર.મોદી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એસ.જી.પટેલ, મામલતદાર શ્રી તરાર તથા કર્મચારીઓ ઉપસ્થિ રહ્યા હતા.
રિપોર્ટ: ઉમંગ રાવલ, ધ ન્યુઝ ટાઇમ્સ, પ્રાંતિજ


0 ટિપ્પણીઓ: