ભચાઉ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના નાથવાના ભગીરથ પ્રયાસથી હાલ કોઈ પોજેટીવ કેસ નથી
કોરોના અટકાયત માટે જનજાગૃતિ અને પ્રચાર પ્રસારના પગલે ભચાઉ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના નાથવાના ભગીરથ પ્રયાસથી હાલ કોઈ પોજેટીવ કેસ નથી. અંતિમ દસ દિવસો થી ભચાઉ તાલુકો કોરોના મુકત જોવા મળી રહ્યો છે . રાજ્ય સરકાર અને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની માર્ગદર્શિકા અનુરુપ આ કામગીરી સાથે સંકળાએલા આરોગ્ય , સેવા કે પ્રચાર પ્રસાર કર્મી ઓ જ નહિ પરંતુ કોવિડ ગાઈડ લાઈન ને અનુરુપ જીવનશૈલી અમલી બનાવનાર સૌ આ માટે યશના ભાગીદાર છે. ભચાઉ તાલુકાના કોરોના ના અંતિમ દસ દિવસનો રીપોર્ટ બતાવે છે કે આયોજનબધ્હ અડગ નિર્ધારથી કરેલા કાર્ય અને તેમાં આપેલા સહયોગથી અચુકપણે કોરોના હારશે ગુજરાત જીતશે સાર્થક કરી શકાશે જરૂર છે ફકત આયોજનબધ્ધ કામગીરી અને તેનુ ફોલોઅપ જેમ ભચાઉ તાલુકાની આરોગ્ય ટીમે કરી બતાવ્યુ છે.
ભચાઉ
તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ ના માર્ગદર્શન અંતર્ગત તાલુકા ના 3 સી.એચ.સી, ૭ પી.એચ.સી. અને ૪
ધન્વંતરી રથ દ્રારા તા.૧૩ ડિસેમ્બર થી આજ દિન સુધી શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ
ના ૧૫૭૫ એન્ટીજન ટેસ્ટ અને ૨૭૯
આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાયા છે જેમાં કોઈ
પોજેટીવ કેસ નથી. ધન્વંતરી રથ દ્રારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ ના ટેસ્ટ સાથે
રોગ પ્રતિકારક શક્તિ માટે આર્યુવેદીક અને હોમીઓપેથીક દવાઓ નું વિતરણ કરાઈ રહ્યું
છે. આરોગ્ય કર્મચારીઓ સ્ત્રી , પુરુષ અને આશા ની ૨૦૮ ટીમો દ્રારા ભચાઉ તાલુકા ની રુરલ ની ૧૫૫૬૩૭ વસ્તી
તથા અર્બન ભચાઉ ની ૪૬૨૧૮ વસ્તી નો દર અઠવાડીએ હાઉસ ટુ હાઉસ સર્વે કરી લોકો ને
કોરોના અટકાયતી પગલાંઓ નું માર્ગદર્શન આપી શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકો ના ટેસ્ટ
કરાઈ રહ્યા છે.લોકો ને જન જાગૃતી માટે આઇ.ઇ.સી. કરાય છે અને તમામ જાહેર જગ્યા અને
સરકારી ઓફીસો મા બેનર અને પોસ્ટર લગાવવામા આવેલ છે.


0 ટિપ્પણીઓ: