ધાણેટી ખાતે રાજયમંત્રી વાસણ ભાઈ આહીરના હસ્તે વિવિધ વિકાસ કામોનું ખાતમૂહૂર્ત કરાયું

Live Viewer's is = People

ધાણેટી ખાતે રાજયમંત્રી વાસણ ભાઈ આહીરના હસ્તે વિવિધ વિકાસ કામોનું ખાતમૂહૂર્ત કરાયું



સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીરના હસ્તે ધાણેટી ગામે ૨.૫૦ લાખ લીટર ક્ષમતાના પમ્પ, પાઇપ લાઇન, પમ્પ કેબીન થતા પાતાળ કુવાનું કામ ૪૭૧૮ લાખ. વાસ્મો પુરસ્કૃત આંતરિક જળ વિતરણ વ્યવસ્થા અંતર્ગત ઉંચી ટાંકી ૧ લાખ લીટરનું કામ ૨૩.૧૦ લાખ શાળાને ફરતે બાઉન્ડ્રીવોલ નું કામ ૦.૭૦ લાખ. શાળા કેમ્પસમાં સી.સી.નું કામ ૨ લાખ. આમ કુલ અંદાજીત ૭૩.૦૫ લાખ રૂપિયા ની માતબર રકમ ના કામોનું ખાતર્મુહત કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં ગામના સરપંચ અને અગ્રણી વાઘજી ભાઈ આહીર, ઉપ સરપંચ ગણેશભાઈ વાલજી ભાઈ આહીર, ધાણેટીના સપૂત વડીલ દાનવીર દાતા રાણા બાપા, અગ્રણીશ્રી હરિભાઈ જાટીયા, યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સતીશ ભાઈ આહીર, રબારી સમાજના આગેવાન સોમાભાઈ રબારી, માજી સરપંચ આલાભાઈ આહીર, માજી ઉપસરપંચ રૂપાભાઈ રબારી, આસપાસના વિસ્તારના સરપંચો, વાસ્મોના વનરાજ, રામાનુજ, કટારીયા, ડિમ્પલબેન તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments

close