જામનગરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ નો આંક વધતો જાય છે ત્યારે જામનગરની અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે અને શહેરની મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા કોરોના દર્દીઓ માં ઓક્સિજન લેવલ વધારવા માટે કપૂર ની પોટલી નું વિતરણ કરવામાં આવ્યું હતું
જામનગરની મહિલાઓ દ્વારા સંચાલિત સામાજિક સંસ્થા ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં કોરોના દર્દીઓ નો ઓક્સિજન લેવલ વધારવા માટે જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનો માટે ની અજમો કપૂર અને લવિંગ ની પોટલી નું વિતરણ કરવામાં આવ્યું હતું ક્રિશવ ફાઉન્ડેશનના વૈશાલીબેન ભટ્ટ, કેતનાબેન, રાજુબેન દવે ખુશ્બુબેન પ્રજ્ઞાબા અને કિંજલબેન દ્વારા અંદાજે ૫૦૦ જેટલી પોટલીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું
રિપોર્ટ : કુલદિપ ભટ્ટ, જામનગર

0 ટિપ્પણીઓ: