જાફરાબાદ થી રાજુલા રોડ મંજુર થતા વાહન ચાલકો ખુશી જોવા મળી, જાફરાબાદ થી ચારનાળા સુધી નો રસ્તો, છેલ્લા ધણા સમયથી બિસ્માર હાલતમાં હતો, તે પૂર્વે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ, ટીંબી માર્કેટિંગ યાડૅ ના ચેરમેન, ચેતનભાઈ શિયાળ ના અથાગ પ્રયત્નો બાદ મંજુર થયો, ત્યારે માજી સાંસદીય સચીવ હીરાભાઈ સોલંકી દ્વારા, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ને રૂબરૂ તેમજ પત્ર દ્વારા લેખીત રજુઆત બાદ, આ રોડ મંજુર કરવામા આવ્યો, હવે જાફરાબાદ થી હોસ્પિટલ ના કામે જતા લોકો, તેમજ રાજુલા થી જાફરાબાદ રોજગારી માટે આવતા લોકો ને, આ મુસીબત માંથી રાહત મળશે, ઘણા સમય ના પ્રશ્નનો નિરાકરણ આવતા, લોકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જાફરાબાદ થી રાજુલા અને મહુવા તરફ જવાનુ હતું મુશ્કેલ, રોડનું કામ ચાલુ થતાં થશે રાહત, આ રોડ છેલ્લા પાંચ થી સાત વરસ થી અતિ બિસ્માર હાલતમાં હતો, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, હીરાભાઈ સોલંકીને ધ્યાન પર આ કામ આવતા, તેઓ રૂબરૂ ગાંધીનગર જઈને, આ રોડ નું કામ મંજુર કરાવતા લોકોમાં ખુશી જોવા મળી
રિપોર્ટ, બાબુભાઈ વાઢેળ, ધ ન્યુઝ ટાઇમ્સ, જાફરાબાદ,
વિગતવાર વિડીયો સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો
આ પણ જુઓ :-
મુંદ્રા-કચ્છના પોલીસ કસ્ટોડીયલ ડેથના મુખ્ય ત્રણ ભાગેડુ પોલીસ આરોપી ભાવનગરથી ઝડપાયા.
0 Comments